Posts

Showing posts with the label Janki

હરિ તમારો સાથ

Image
 શ્રી ગણેશાય નમઃ  જીવન ના પ્રતેક પડાવ માં નારાયણ કોક ને કોક સ્વરૂપ માં મારી રક્ષા એ દોડ્યા છે. એ ક્યારેક માં બને ને તો ક્યારેક મિત્ર બની ને, તો ક્યારેક પિતા સ્વરૂપે, તો કરાયે એક કુતરા ના પ્રેમ માં! જીવન માં માન, સન્માન તો ફક્ત નારાયણ થી છે, બાકી તો અવર-જવર છે. આત્મા ની પ્રાર્થના કેમ છે એનો મને ભાસ થયો ત્યારે આ કાવ્ય ની રચના થઇ છે. આ કાવ્ય મેં રાધાકૃષ્ણ અને અનેક દેવી દેવતા ને સાક્ષી રાખી વેન્ચુરા સનાતન મંદિર માં લખ્યું છે.  --------- હરિ થકી ચાલે નાવ મારી નાની મત્સ્યરૂપએ મોકળો માર્ગ બતાવે જાણી  આંખ ના આંસુ લુછવા અચૂક એજ આવે જમાડવા તે ધાન પણ અઢળક લાવે  વિસાત નથી મારી કે હું સમજુ એમની લીલા  શ્યામલ કૃષ્ણ કાનજી પેહરે પીતાંબર પીળા  કુંવરબાનું મામેરું અઢળક કરે ક્યારેક તે  તો ક્યારેક બની ગિરધર મીરાના દુઃખ હરે તે  વાંસળી તેની નારાયણના પ્રેમિલા વેણ ભ્રમાંડજેમાં વસે તેવા કમળ રૂપી નેણ ચારણકમળ થી નથી ખસતું મારુ ધ્યાન  એ હરિનામ સાંભળતા આત્મા ભુલે ભાન  શું ગાવ  ગીત  એના જે પોતે  છે  સ્વર  નિર્બળ નો વિધાતા મારો એ ઈશ્વર...
Image
 શ્રી ગણેશાય નમઃ  કેવટ સખા પાર કેવટ જ્યારે સ્વામી ને  પાર લાવે , મનોમન સ્વામી અને સેવક હર્ષાવે, કેવું તે કૌતુક આ જોનારા ને થાય, શું સંસાર ચલાવનાર હોડી માં સમાય? વિધિના વિધાન ખેડનારો નાવડીમાં બેઠો  વચન, કર્મ અને ભગવતનો અલૌકિક ભેટો  શ્રી રઘુવર ને ગુમાવનારા ધ્રુસકે ને ધ્રુસકે રડે  આવો દીકરો અને રાજા હવે પાછો ક્યારે જડે? ગંગાજીનું જળ પણ અતિ અશ્રુમય શાંત છે  સ્વામીથી વિખુટી થવાની સજા એકાંત છે  લક્ષ્મણ અને જાનકી રઘુભૂમિ ને નમન કરે આગળ હવે શું એનું ચિંતિત ચિત્ત ભ્રમણ કરે  મનોમન ત્રિકાળ દર્શી મલકાય એમ  અવતર્યાના જાણે વિધાન પૂરા થાય જેમ  જાને તે સૌના મન અને હૃદય ની વ્યથા  રક્ષા અને હેતના આશિર્વદ આપે જતા  જેમ- જેમ નાવડી કિનારે નજીક આવે  મત્સ્ય, સૂર્ય, પક્ષી પણ રામ જાય બોલાવે  નાવ જ્યારે તટ ને સ્પરશી નમન કરે  તટપાર ના દૃશ્ય નું નયન ગમન કરે  કેવટ કિનારે આવી સ્વામી ને ઉતારે  કહો નાથ, શું સેવા હવે ભાગે અમારે? કહે રામ, હે શ્વેત તારનારા ને તારનાર ! કર્યો છે તે મારા ઉપર જન્મ મુક્ત ઉપકાર  રાખ આ મુદ્રા, મારી...